બાળક એટલે વિસ્મયની દુનિયાનો વિષ્ણુભગવાન. એની સૃષ્ટિમાં પૂર્ણવિરામનું મહત્ત્વ નથી, પણ આશ્ચર્યચિહ્નોનું સામ્રાજ્ય છે. તમે જો એની દુનિયા તરફ જુઓ તો બાળકાવ્યો કે બાળવાર્તાની ગંગોત્રી શોધવા માટે બહુ દૂર નહીં જવું પડે. ફરિયાદ તો એના હોઠ પર હોય જ. સુરેશ દલાલે એમની આગવી શૈલીમાં બાળકાવ્ય સંગ્રહોમાં રજૂ કર્યા છે.